આઈ ટી આઈ ઇન્સ્ટ્રકટર અનેસ્ટોર કીપર ને 4200ગ્રેડ પે આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે

મોટામિયા-માંગરોલ,

ગુજરાત રાજ્યમાં આવેલ આઇટીઆઇ ના સુપરવાઈઝર ઇન્સ્ટ્કટર નો પગાર ધોરણ 5200-20200ગ્રેડ પે 2800છે જેમાંજુના નિયમ મુજબ આ જગ્યાની ભરતી માટે નિયમ મુજબ સુપરવાઈઝર ઇન્સ્ટ્કટર માટે ડિપ્લોમાડિગ્રી એન્જિનિયર અને એક થી ત્રણ વર્ષનો અનુભવ માંગ વામાં આવે છે.
પણ તેના પે સ્કેલ માં કોઇપણ જાતનો સુધારો કરેલ નથી. ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોમાં લાયકાત માટે નો પગાર 9300-34800ગ્રેડ પે 4200થી 4600માં આપવામાં આવે છે. વધુ માં માધ્યમિક શિક્ષકો ને પગાર ધોરણ 9300-34800 ગ્રેડ પે 4200 આપવામાં આવે છે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને 9300-34800ગ્રેડ પે 4200આપવામાં આવે છે. વધુ માધ્યમિક શિક્ષકો ને પગાર ધોરણ 9300-34800ગ્રેડ પે 4200આપવામાં આવે છે. જયારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો ને 9300-34800ગ્રેડ પે 4400આપવા માં આવે છે. આઈ ટી આઈ માં તાલીમ લેતા તાલીમાર્થી ઓ ને ધોરણ 10 પાસ હોય છે. જે ઉચ્ચતર માધ્યમિક સમકક્ષ હોય છે. અને આઈ ટી આઈ સુપરવાઈઝર ઇન્સ્ટ્કટર નો પગાર ધોરણ માધ્યમિક શિક્ષણ કરતા પણ નીચો એટલે કે સમગ્ર ભારત માં સૌથી નીચું 5200-20-200 ગ્રેડ કારકુન સમકક્ષ હોય છે.
હાલ માં દરેક રાજ્યો ની આઈ ટી આઈ માં DGT DILHI ના નિયમો અનુસરે છે હાલ માં ગુજરાત રાજ્ય સિવાય દરેક રાજયો ની આઈ. ટી. આઈ માં ઇન્સ્ટ્કટર નો પગાર ધોરણ 9300-34800ગ્રેડ પે 4200/4600 છે. જયારે ગુજરાત ની આઈ ટી આઈ ના ઇન્સ્ટ્કટર નું પગારધોરણ અન્ય રાજ્યો ની સરખામણી એ સમગ્ર ભારત માં સૌથી નીચું 5200-20-200 છે ગ્રેડ પે 2800 નો આપવા માં આવે છે. DGT DILHI દ્વારા 4600 ગ્રેડ ની ગાઇડલાઇન આપી છે. એમાં અમે અમારા આઈ ટી આઈ ના ઉપલી કેડર ના ગ્રેડ પે ને અર્ચના થાય તે માટે 4200 ગ્રેડ પે ની માંગણી કરેલ છે. છતાં પણ રાજ્ય સરકાર ને આ બાબતે વારંવાર છેલ્લા ચાર વર્ષ થી રજુઆત કરવા છતાં પણ અમારી માંગણી ને ધ્યાને લીધેલ નથી. 4200ગ્રેડ પે બાબત ની ફાઈલ નાના વિભાગ માંથી શ્રીતી ની પુણતા કરી શ્રમ અને રોજગાર વિભાગ નાણાં પરત કરેલ હતી પણ હજી સુધી આ બાબતે સરકાર દ્વારા આ બાબતે કોઈ પણ કાર્યવાહી આજદિન સુધી કરવા માં આવેલ નથી. તો આ બાબતે સરકાર દ્વારા હકારાત્મક નિણઁય નહિ લેવાય તો આગામી દિવસો માં ગાંધીજી ના ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે અને સરકાર દ્વારા આપવામાં આવેલ વધારા ના આર ટી ઓ લર્નિંગ લાઇસન્સ ની કામગીરી બંધ કરવા માં આવશે તેવી ગર્ભીત ચીમકી ઉચ્ચારી છે અને તેની જવાબદારી સરકાર ની રહશે એમ જણાવ્યું હતું.

રિપોર્ટર : નિલય ચૌહાણ, મોટામિયા-માંગરોલ

Related posts

Leave a Comment